Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ અને મારુતિ ગ્રુપ દ્વારા ઝુંડ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ઝુંડ ગામના સ્મશાનભૂમિમાં 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ઝુંડ મારુતિ ગ્રુપ, ગામના આગેવાન અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના સહયોગથી ઝુંડ ગામના સ્મશાનભૂમિ માં 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું  છે. ગામના આગેવાનો દ્વારા સ્મશાનભૂમિમાં માટી પુરાણ કરી ને રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના સંયોજક જગદીશભાઈ, રસિકભાઈ, હિતેશભાઈ, રાજેન્દ્રભાઈ, નિલેશભાઈ, વાસુદેવભાઈ અશોકભાઈ, રમેશભાઈ રામજીભાઈ, અશ્વિનભાઈ દિલીપભાઈ, ભાઈલાલભાઈ, ગામ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

(5:50 pm IST)