Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

નિવૃત્તિ પછી કરાર આધારિત નિમણૂકો અંગે ગૃહમાં પ્રશ્ન

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૪ : રાજ્‍યના સરકારી અધિકારી - કર્મચારીઓની નિવૃત્તિ પછીની કરાર આધારિત બાબતે સભ્‍યશ્રીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં સામાન્‍ય વહીવટ વિભાગના જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧-૨૩ની સ્‍થિતિએ રાજ્‍ય સરકારમાં વયનિવૃત્તિ બાદ કરાર આધારિત પુનઃ નિમણુંકો થઇ રહી છે તેવો એકરાર કર્યો હતો.

રાજ્‍ય સરકાર દ્વારા ખાલી પડતી જગ્‍યાઓ વખતોવખત સીધી ભરતી - બઢતીથી ભરવામાં આવતી હોય છે. પુનઃ નિમણુંક કરવામાં કેટલીક વહીવટી આવશ્‍યકતાનું કારણ મુખ્‍ય છે

(4:45 pm IST)