Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સચિવાલયમાં સેકશન અધિકારીઓની ૪૩૬ જગ્‍યાઓ ખાલી, ૧૨૫ ભરેલી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૨૪ : સચિવાલય કક્ષાએ સેકશન અધિકારીની ખાલી જગ્‍યાઓના મંજૂર થયેલ મહેકમ અંગે સભ્‍ય અનંત પટેલના પ્રશ્નના ઉત્તરમાં મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧-૧૨-૨૨ની સ્‍થિતિએ સચિવાલય કક્ષાએ સેકશન અધિકારી વર્ગ-૨નું કુલ મહેકમ ૫૬૧ છે.

આ મંજુર મહેકમ પૈકી ૪૩૬ જગ્‍યાઓ નિયમોનુસાર ભરવામાં આવેલ છે. જ્‍યારે ૧૨૫ જગ્‍યાઓ ખાલી છે. ખાવી જગ્‍યાઓ બઢતીથી ૮૦ જગ્‍યાઓ સેમી ડાયરેકટ પરીક્ષાથી અને ૪૨ જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવાની થાય છે. ખાલી પડેલી જગ્‍યાઓ ઉમેદવાર ઉપલબ્‍ધ થયેથી ભરી શકાશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.

(4:54 pm IST)