Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી 160થી વધુ ફરિયાદ:255થી વધુ લોકોની ધરપકડ

પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી થકીથી વ્યાજખોરો ફફડાટ ફેલાયો

સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેર પોલીસ દ્વારા સુરત શહેરમાં 160થી વધુ વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 160થી વધુ ફરિયાદમાં પોલીસે 255થી વધુ લોકોની ધરપકડ કરી છે.

  શહેર પોલીસે લોકોને વ્યાજના ખપ્પરમાં છોડાવવા માટે કાર્યવાહી કરી છે. સુરત શહેરમાં કેટલાક એવા વ્યાજખોર છે કે, જે લોકોને ઊંચા વ્યાજે રકમ આપતા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી થકીથી વ્યાજખોરો ફફડાટ ફેલાયો હતો..પોલીસ દ્વારા કેટલાક કિસ્સામાં સૂઓમોટો લઈને ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે

   
(12:02 am IST)