Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

રાજપીપલા અનાજ કરિયાણા વેપારી મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા અનાજ કરિયાણા વેપારી મંડળની વાર્ષિક સાધારણ સભાનું શ્રી હનુમાન ધર્મેશ્વર ( મોટા હનુમાન) ખાતે પ્રમુખ રમણસિંહ રાઠોડના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

  મીટીંગમાં અતિથી વિશેષ તરીકે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જીલ્લા ભાજપ પ્રમુખ અને સહકારી ક્ષેત્રોના આગેવાન ઘનશ્યામભાઇ પટેલ અને ડો. રવિભાઇ દેશમુખને આમંત્રિત કર્યા હતા. ડો દર્શનાબેન દેશમુખનું સમ્નાન રમણસિંહજી રાઠોડે અને ઘનશ્યામ પટેલનું સન્માન ઉપપ્રમુખ હરનિશભાઇ શાહે કર્યુ હતુ ડો. રવિભાઇ દેશમુખનું સન્માન કૃણાલભાઇ માલી અને અન્ય કારોબારી સભ્યોએ કર્યુ હતુ.
  આ મીટીંગને પૂર્ણતાનો આકાર આપવા મંડળના એજન્સી ધારક સભ્યોના સહયોગથી ગીફ્ટનું આયોજન કરી એક કિટ બનાવી તમામ સભ્યોને પૂરી પાડવામાં આવી મીટીંગ દરમ્યાન પ્રમુખ અને ઉપ પ્રમુખ તરફથી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું તેની સાથેજ મંડળનો વાર્ષિક અહેવાલ મંડળના ખજાનચી પ્રવિણભાઇ શાહે વાંચી સંભળાવ્યો, ત્યારબાદ અંતે મંડળના સભ્ય પ્રવિણભાઇ શાહે સર્વેનો આભાર માની સૌ સાથે ભોજન લઇ છુટા પડ્યા તમામ કારોબારી સભ્યો જમવાના સ્પોંસર ગુલાબ ઓઇલ એન્ડ ફ્રુડ્ઝ અને એક એક લેધર બેગના સ્પોંસર કુશ પ્રોટિન્સનો અંતહ કરણપુર્વક આભાર માન્યો હતો.

(10:16 pm IST)