Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

સૌરાષ્ટ્રમાં સુસવાટાભર્યા પવનો ફૂંકાશે : દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થશે.

હવામાન વિભાગ દ્વારા 24 અને 25 જાન્યુઆરીએ કાતિલ ઠંડીની આગાહી

અમદાવાદ : રાજ્યમાં હજુ પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં સુસવાટાભર્યા પવનો ફૂંકાશે. જેને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. ભારે પવનને કારણે સૌરાષ્ટ્રભરમાં દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ થશે.

  હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાદળછાયા વાતાવરણને પગલે  દિવસના સમયે ગરમીનો અનુભવ થશે અને વાદળ ખૂલ્યા પછી ઠંડીનો અનુભવ થશે. જોકે વાદળ છાયા વાતાવરણ દરમિયાન આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી થોડો સમય રાહત મળશે. જોકે આ રાહત થોડા સમય માટે જ હશે અને બે દિવસ બાદ ફરીથી ભારે ઠંડીનો અનુભવ થઈ શકે છે.  હવામાન વિભાગ દ્વારા  24 અને 25 જાન્યુઆરીએ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.

(8:18 pm IST)