Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

નવસારીના ચીખલી પાસે કન્ટેનર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત :4 લોકોના ઘટનાસ્થળે મોત: બે લોકોની હાલત ગંભીર

મૃ્ત્યુ પામનાર તમામ સુરતના રહેવાસી:મુંબઈ એરપોર્ટથી પરત સુરત આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો

નવસારી ચીખલી પાસે કન્ટેનર અને ઇનોવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. બે લોકોની હાલત ગંભીર છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી ચીખલી પાસે ઓલીપોર બ્રિજ પાસે કન્ટેનર અને ઇનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થોય હતો જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને બે લોકોની હાલત ગંભીર છે,આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે લોકો અકમ્તામાં ઘાયલ થયા હતા તેમને સારવાર અર્થે સુરતની હોસ્પરિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અક્સમાતમાં મૃ્ત્યુ પામનાર તમામ સુરતના રહેવાસી છે. તેઓ મુંબઇ એરપોર્ટથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે આ અક્સમાત સર્જોયો હતો. આ અકસ્માતની જાણ થતા ડીવાયએસપી પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોચ્યા હતા અને બચાવકામગીરી હાથ ધરી હતી. ચીખલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

(7:30 pm IST)