Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા દિવ્યાંગ દીકરા-દીકરીઓને નિઃશુલ્ક અભ્યાસ કરાવાશે

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે વિદ્યાર્થોઓને પ્રાર્થના તેમજ ભજન, સત્સંગના હેતુથી વિશાળ, ભવ્ય વિશાળ પ્રાર્થનાભવન તૈયાર થતાં   સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સ્વામી બાલકૃષ્ણદાસજીની નિશ્રામાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

અનેકવિધ આયોજનો સાથે ઉજવાયેલ આ મહોત્સવમાં પૂજ્ય સ્વામીજીએ પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નાઘેર વિસ્તાર ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમના પવિત્ર સંતોની ચરણરજથી પાવન થયેલો છે. આ વિસ્તાર સર્વ રીતે પ્રગતિ કરે એવો અમારા હૃદયનો સંકસ્પ છે. માટે જ આ વિસ્તારના ગામડાઓમાં જે દીકરા-દીકરીઓ દિવ્યાંગ છે તથા જેમના માથે માતા-પિતાનું છત્ર નથી તેવા બાળકોને સંસ્થા નિઃશુલ્ક અભ્યાસ કરાવશે.

સ્વામીજીના આ સંકલ્પને ઉપસ્થિત ભક્તજનોએ તાળીઓના ગડાગડાટથી વધાવી લીધો હતો.      

(3:17 pm IST)