Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

એઇમ્સ નહિ મળે તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો જલદ આંદોલન કરશે: હર્ષદ રિબડીયાની ચીમકી

સરકારે માત્ર વાયદાની લોલીપોપ આપી :વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ એઇમ્સનો મુદ્દો ઉઠાવ્યો

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રને એઈસ્મસ હોસ્પિટલ ક્યારે મળશે તે મુદ્દો ઉઠાવ્યો હતો અને એવો આરોપ લગાવ્યો હતો કે સૌરાષ્ટ્રને એઈમ્સ આપવાના નામે સરકારે માત્ર વાયદાની લોલીપોપ આપી છે

  .હર્ષદ રિબડીયાએ જો સરકાર સૌરાષ્ટ્રને આગામી દિવસોમાં એઈમ્સ નહી આપે તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય જલદ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે સૌરાષ્ટ્રમાં કોઈ ગંભીર હાલતમાં હોય તો તેમને સારવાર માટે છેક અમદાવાદ સિવિલ લાવવા પડે છેતેવી રજૂઆત કરીને સૌરાષ્ટ્રમાં એઇમ્સ જરૂરી હોવાનું કહ્યું હતું 

(10:22 pm IST)