Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

માર્ગ અને મકાન વિભાગ હસ્તક જામનગર જોડિયા તાલુકાના નોન પ્લાન રસ્તાઓ તેમજ માઈનોર બ્રીજ અને કોઝ-વેના કામો મંજુર કરાવતા : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

રૂ. ૨૯.૧૫ કરોડના ખર્ચે જામનગર અને જોડિયા તાલુકાના રસ્તાઓ રીકાર્પેટ તથા વાઈડનીંગથી મઢવામાં આવશે તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝવે બનશે : મંત્રી રાઘવજીભાઈપટેલ

અમદાવાદ ; કૃષિ મંત્રીએ જણાવેલ કે માર મતવિસ્તાર જામનગર અને જોડિયા તાલુકાના નોન પ્લાન રસ્તાઓના કામો તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝ-વે માટે સ્થાનિક કક્ષાએથી રજૂઆતો મળેલ હતી. 

જે અંગે માર્ગ મકાન મંત્રી  પુર્ણેશભાઈ મોદીને વિસ્તાર સહ રજૂઆત કરતા જામનગર અને જોડિયા તાલુકામાં આવતા ગામોના નોન પ્લાન રોડ રસ્તાઓ, તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ તથા કોઝ-વેના કામોને મંજુર કરવામાં આવેલ છે. જે બદલ માર્ગ અને મકાન મંત્રી  પુરનેશભાઈ  મોદીનો વિધાનસભાના મતદારો વતી આભાર માનેલ છે.

મંત્રીએ વધુમાં જણાવેલ છે કે જામનગર તાલુકામાં સૂર્યપરા-બાડા રોડ, મોટા થાવરિયા ટુ એસ,એચ, ભરતપુર-વિજયપુર રોડ, પસાયા-બેરાજ રોડ, બેડ રસુલનગર રોડ, નકલંક રણુજા-શેખપાટ ટુ જોઈન એસ,એચ, જામવંથલી ટુ ઉંડ એપ્રોચ રોડ, સરમત ટુ એરફોર્સ રોડ, વાવ બેરાજા થી ચંદ્રાગઢ સુધીનો રસ્તો તેમજ જોડિયા તાલુકામાં ખીરી ટુ. એસ.એચ.રોડ સહિતના રોડ રસ્તાઓમાં માટીકામ, મેટલીંગ કામ, નાળા પુલિયાકામ ડામરકામ તથા રીકાર્પેટ, સીલીકોટ, પ્રોટેક્શન વોલ, સી.સી.રોડ ની સૂચિત કામગીરી કરવામાં આવશે.

મંત્રી મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અને કોઝ-વે મંજુર થયેલ કામોમાં વિગત આપતા જણાવેલ કે જામનગર તાલુકામાં એસ.એચ. ટુ નારાણપર નાઘુના રોડ ખાતે મેજર બ્રીજ, તમાસણ ટુ જોઈન વી.આર. રોડ ખાતે કોઝ-વે, બેરજા-જગા રોડ સ્લેબ ડ્રેઈન, તમાચણ ટુ વીરપર રોડ સતીમાના મંદિર પાસે કોઝ-વે, લાખાણી મોટો વાસ સૂર્યપરા રોડ કોઝ-વે, મોટા થાવરીયા-ખીમરાણા રોડ કોઝ-વે(વોશ આઉટ), ધુતાપર બ્રીજ ધૂડશિયા ટુ જોઈન એસ.એચ.રોડ(વાયા વરૂડી માતાજી) બ્રીજ વાઈડનીંગનું કામ તથા જોડિયા તાલુકામાં બાલાચડી ટુ જોઈન એસ.એચ. ખાતે કોઝ-વે બનાવવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ નોન પ્લાન રોડ રસ્તાઓ, મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અન કોઝ-વે માટે રૂ.૨૯.૧૫ કરોડ મંજુર કરવામાં આવેલ છે. જે બદલ માર્ગ અને મકાન મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદીનો વિધાનસભાના મતદારો વતી આભાર માનેલ છે.

તેમજ મંજુર થયેલ રોડ રસ્તાઓ તેમજ મેજર બ્રીજ, માઈનોર બ્રીજ અન કોઝ-વે માટે સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, મતદારોમાં સૌ કોઈમાં હર્ષની લાગણી ફેલાયેલ છે તેમજ આ માટે કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી આભાર માનેલ છે.

(6:14 pm IST)