Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ભરાતું શાક માર્કેટ રોડ પરના ટ્રાફિકોના કારણોસર ખસેડવામાં આવ્યું

વડોદરા:મ્યુનિસિપલ કોર્પોરેશને કિશનવાડી ગધેડા મારકેટ ખાતે ભરાતું શાકમાર્કેટ રોડ પરના ટ્રાફિકના પ્રશ્નોને લીધે અંતે ખસેડી લેવાયું છે અને કિશનવાડી ચાર રસ્તા નજીક સેનિટરી પોઇન્ટ એટલે કે ટ્રાન્સફર સ્ટેશન ખાતેના પ્લોટમાં શિફ્ટ કરાયું છે. 

અગાઉ ચોમાસામાં માર્કેટ શિફ્ટ કરાયું હતું પરંતુ પ્લોટ ઉપર લેવલીંગનો પ્રશ્ન હતો અને કાદવ કીચડ થઇ જતા ધંધાર્થીઓ ફરી બહાર બેસતા થઈ ગયા હતા. શાકમાર્કેટ બહાર ભરાતુ હોવાથી રોડ પર દબાણો થતાં હતાં અને માત્ર 7 મીટર જેટલો રોડ ખુલ્લો રહી જતો હતો જેથી ટ્રાફિકની મુશ્કેલી પડતી હતી અગાઉ માર્કેટ હટાવવા પ્રયાસ થયો હતો ત્યારે ધંધાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા રજૂઆત થઈ હતી.

(6:01 pm IST)