Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

કોંગ્રેસ ૮ સીટ માટે ૩૦ પ્રચારકોને ઉતારશે મેદાનમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ ઉતારશે તેના ૩૦ સ્ટાર પ્રચારકો

રાજકોટ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના રણશિંગા વાગી ચૂકયા છે. અને અત્યારે જે ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તે તમામ તેના પ્રચારના કામમાં લાગી ગયા છે. બંને પક્ષો પોતાના ઉમેદવારને જિતાડવા એડી-ચોટીનું જોર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેના ઉમેદવારોને જીતાડવા પ્રચાર માટે જૂના અને અનુભવી નેતાઓ અને સ્ટાર પ્રચારકો તરીકે જાણીતા કેટલાક નામો જાહેર કર્યા છે, જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા જે નામો જાહેર થયા છે.

જેમાં વરિષ્ઠ નેતા અહમદ પટેલ, ગુજરાતનાં પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અધ્યક્ષ અમૂત ચાવડા, વિધાનસભામાં પક્ષના નેતા પરેશ ધાનાણી, દિપક બાબરિયા, મધુસૂદન મિસ્ત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા અને સિદ્ઘાર્થ પટેલ, બિહાર પ્રભારી શકિતસિહ ગોહિલ, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, નરેશ રાવલ, પૂર્વ સાંસદ ડો. તુષાર ચૌધરી, લાલજીભાઈ દેસાઇ અને નારાયણ રાઠવા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(4:45 pm IST)