Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રાજપીપળામાં મોહસીને આઝમ મિશન દ્વારા મોહરમમાં ફ્રુટનું વિતરણ કરી સાદાઈ થી ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં આ વર્ષે ઝુલુસ માટેની ઉપરથી કોઈ મંજૂરી ન હોવાથી મુસ્લિમ ધર્મના લોકોએ કોરોના બાબતે ખાસ તકેદારી રાખવા મોહરમ સાદાઈથી ઉજવવા નક્કી કર્યું છે જેમાં શુક્રવારે મોહરમ ના પર્વ નિમિત્તે મોહસીને આઝમ મિશન દ્વારા રાજપીપળ જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

મોહરમની ઉજવણી ઇમામ હુસેન ની યાદ માં કરવામાં આવે છે 10 મી મોહરમના દિવસે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમા પણ મોહસીને આઝમ મિશન ના વડા સૈયદ હસન અસ્કરી મિયા ના આદેશ મુજબ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફ્રુટનું વિતરણ કરવા આવ્યું હતું

(10:27 pm IST)