Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.078 : કુલ 8.15.008 લોકોએ કોરોનાને હરાવ્યો :રાજયમાં આજે વધુ 2.75.726 ડોઝનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5 કેસ, સુરતમાં 4 કેસ,વડોદરામાં 3 કેસ,જામનગર અને જૂનાગઢમાં 2-2 કેસ,અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો : હાલમાં 186 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 14 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.008 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10078 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે

 રાજ્યમાં રસીકરણ વેગવાન બન્યું છે આજે રાજયમાં વધુ 2.75.726 ડોઝનું રસીકરણ કરાયું છે આજ સુધીમાં રાજયમાં 4.22.69.128 ડોઝનું રસીકરણ કરાયું છે

  રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 180 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.008  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 17 કેસમાં અમદાવાદમાં 5 કેસ, સુરતમાં 4 કેસ,વડોદરામાં 3 કેસ,જામનગર અને જૂનાગઢમાં 2-2 કેસ,અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો છે

(8:30 pm IST)