Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના માધ્‍યમથી એકતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટેથી દોઢ યાત્રાનું મુંબઇથી પ્રસ્‍થાન થયા બાદ સુરત જીલ્લાના પલસાણામાં આગમન

અભિનેતા મિલિંદ સોમણે અને ટીમનું તંત્ર દ્વારા સ્‍વાગત

સુરતઃ નર્મદાના કેવડીયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાને એક્તાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમણે મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રન ફોર યુનિટીના દોડનું આજે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માંખીગા ગામે મામલતદાર, રમતગમત અધિકારી ગ્રામ્ય વિરલ પટેલ, સિનિયર કોચ કનુભાઈ રાઠોડ સહિતના વહીવટીતંત્ર દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.

રજવાડા જોડીને અખંડ ભારતનું શિલ્પ ઘડનારા સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-સરદાર પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. ભૂતકાળમાં તેને હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એક્તાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓએ કર્યું છે. તેની એક કડી જેવી દોડ યાત્રાનું આયોજન મિલિંદ સોમણે એક્તા અને સંવાદિતાને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એક્તાનો સંદેશ આપવા કર્યુ છે.

વિવિધતામાં એક્તાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમણેની સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.૧૭ મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે .૦૦ કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી દોડ આજે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવી પહોચી હતી. દોડ તા.૨૧ મી ઓગસ્ટે્ સાંજે .૦૦ વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટિ કેવડિયા પહોંચશે.

(4:47 pm IST)