Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગરુડેશ્વર તાલુકાની વિધવા મહીલાને જેઠ,જેઠાણી દ્વારા ત્રાસ અપાતા સમાધાન કરાવતી રાજપીપળા અભયમ ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી વિધવા મહિલાના પતિ એકાદ મહિના પહેલા મૃત્યુ પામ્યા હોય આ મહિલા એ 181 હેલ્પલાઇનમાં પોતાની આપવીતીમાં જણાવ્યું કે તેમના જેઠ - જેઠાણી તેમને માનસિક ત્રાસ આપી તેમનો ૬ વર્ષ નો બાળક લઈ લીધા બાદ તેમને પિયરમાં મોકલી દીધા હતા અને તેઓ છોકરાને લેવા જાય છે ત્યારે તેને સંતાડી દે છે, અને આપતા નથી માટે મને મારું બાળક આપવો તેમ જણાવતા રાજપીપલા અભયમ રેસ્ક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યારે સામાં પક્ષે જણાવ્યું કે છોકરા પર તો અમારો જ હક છે અને અમે જ તેનું ધ્યાન આપીએ છે માટે બાળક તો નહીજ આપીએ તેવી જીદ પકડતા હેલ્પલાઈન ટીમે કાયદાકીય માહિતી આપી તેમનું અસરકારક કાઉંસેલિંગ કરી સુખદ સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.

(11:33 pm IST)