Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજપીપળા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા યુવાનોની ભૂમિકા પર ચિંતન શિબિર યોજાઈ

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : અખિલ વિશ્વ  ગાયત્રી પરિવાર   ,શાંતિકૂંજ  હરદ્વાર પ્રેરિત ,યુવા ચિંતન શિબિર નું  રાજપીપલા મુકામે આયોજન  કરવામાં આવ્યુ હતુ.     

આ પ્રસંગે  ગુજરાત પ્રાંતના યુવા સંયોજક કિરીટ ભાઈ સોની, ઉપઝોન સંયોજક રાજુભાઇ ભાવસાર, ઉપઝોન યુવા સંયોજક જીગરભાઇ ઠક્કર તથા આણંદ, વડોદરા થી મહાનુભાવો પધાયૉ  હતા. સાથે નમઁદા  જિલ્લા સંયોજક ચંદુભાઈ  મારવાડી,યુવા સંયોજક દિગ્વિજય સિંહ  ગોહિલ. નવધા ગાયત્રી મહિલા મંડળના  શશિકલા બેન દવે, વેદમાતા ગાયત્રી મહિલા મંડળના છાયાબેન  વલવી પધારી દિપપ્રાગટય  વેદમંત્રો ના ઉચ્ચારણ કરી ગુરુ આવાહન, મા ગાયત્રી આવાહન પૂજન કરવામા આવ્યુ હતું.
યુગ નિમાઁણ યોજનામાં યુવાનોની ભૂમિકા વિષય પર ઉપરોકત  વકતાઓએ પ્રવચનો કરી માગઁદશઁન આપ્યુ હતું.સાથે નમઁદા જીલ્લાના તિલકવાડા,ગરુડેશ્ર્વર,નાંદોદ, ડેડીયાપાડા તાલુકાના યુવાન  પ્રતિનિધિઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત  કયાઁ હતા,                      
 કાયઁક઼મ નું સફળ સંચાલન  તથા આભારવિધિ હસમુખ ભાઇ  પ્રજાપતિ એ કરી હતી કાયઁક઼મ ના અંતે શાંતિપાઠ  કરી ભોજન લઈ  સૌ છૂટા પડ્યા હતા.

(10:15 pm IST)