-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Friday, 20th May 2022
વડોદરા:રેન્જ આઈ.જી.પી.ના બંગલામાં કામ કરતા કર્મચારીનું રસોઈ બનાવતી વેળાએ મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો
વડોદરા:રેન્જ આઇ.જી.પી.ના બંગલા પર કામ કરતા અને નિવૃત્તિના આરે ઉભેલા વૃદ્ધને આજે રસોઇ બનાવતા સમયે ચક્કર આવતા તેઓ ઢળી પડયા હતા.અને તેઓનું મોત થયું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,ડભોઇરોડ સોમા તળાવ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષના શાંતિલાલ દલસુખભાઇ બારિયા અલકાપુરી રેન્જ આઇ.જી.ના ઘરમાં કામ કરતા હતા.આજે સવારે પોણા અગિયાર વાગ્યે તેઓ રસોડામાં રસોઇ બનાવતા હતા.તે દરમિયાન તેઓને ચક્કર આવતા ઢળી પડયા હતા.બેભાન થઇ ગયેલા શાંતિલાલને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું.તેઓને બી.પી.ની બીમારી હતી.અને ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ તેઓનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.
(6:43 pm IST)