Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા એક રાહદારીનું મોત

ફોર્ચ્યુનર કાર ચાલક અકસ્માત કર્યા બાદ ફરાર

સાણંદ: બાવળા રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર કાલે રાત્રે એક અજાણ્યા ફોર્ચ્યુનર ગાડીએ ફૂલ સ્પીડથી કાર ચલાવીને એક રાહદારીને કાર વડે અકસ્માત કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અને રાહદારી સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી.

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર શુક્રવારની રાત્રે રોડ કોસ કરતા રાહદારીને એક  સફેદ ફોર્ચ્યુનર ગાડીએ અશોકભાઈ યાદવ ઉ.47 અકસ્માત કર્યો હતો. અને અશોકભાઈ યાદવને તેમના માંથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેમને હોસ્પિટલના સારવાર ખાતે લઈ જતા તેમનું મોત થયુ હતુ. પણ આ સફેદ કલરનું  ફોર્ચ્યુનર ગાડી કોની હતી. તેની તપાસ હજુ ચાલી રહી છે. 

કાર ચાલકને એટલી જોરદાર ટક્કર હતી કે અશોકભાઈ યાદવ હવામાં ઉછળ્યા હતા. અને તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અને કાર ચાલક ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો.  આ અકસ્માત થતા ત્યાં હાજર લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને અશોકભાઈને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(12:50 pm IST)