Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

દેત્રોજ તાલુકાના રામપુરા ગામે જોગણી માતાનો હવન કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : દેત્રોજ તાલુકાના રામપુરા ભંકોડા ગામે ગામ તોડાના જોગણી માતા વિરાજમાન છે. દર વર્ષે અહીં ગામ તોડાનું તોરણ બદલવામાં આવે છે. જોગણી માતાનું મંદિર સામાજિક સમરસતાનું પ્રતીક છે. રામપુરાની બધી જ જ્ઞાતિઓનું આસ્થા કેન્દ્ર છે. આજરોજ હરસોલ્લાસ સાથે બધી જ જ્ઞાતિના લોકોએ ભૂદેવના મંત્રોચ્ચાર તથા ભુવાજીની હાજરીમાં ગામ તોડાનું તોરણ બદલ્યું. જોગણી માતા નો હવન પણ કરવામાં આવ્યો. હવનના યજમાન કમલસિંહ પ્રધાનજી સોલંકી  ( ભોલાભાઈ )હતા. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી સતિષભાઈ રતિલાલભાઈ ભટ્ટ, માવજીજી કાંતિજી ઠાકોર  અને ગામના આગેવાનો પણ ઉપસ્થિત હતા.

(6:43 pm IST)