Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાય દંપતીને માર મારનાર ખંભાતના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ

ખંભાત:શહેરના ખારોપાટ વિસ્તારમા આવેલા સાજન ફળિયામાં ગત ૧૫મી તારીખના રોજ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ તકરાર કરીને દંપતીને માર મારતાં આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો દાખલ કરીન ેતપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નયનાબેન દલસુખભાઈ બારૈયા ગત ૧૫મી તારીખના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યાના સુમારે પોતાના ઘર આગળ વાસણો ઘસતા હતા ત્યારે કિરણભાઈ દિપકભાઈ ઠાકોર આવી ચઢ્યો હતો અન તેણે ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કર્યું હતુ જેથી નયનાબેને તમે કોને ગાળો બોલો છો તેમ પૂછતાં જ તુ ખરાબ છે એટલે તને ગાળો બોલુ છુ તેમ કહીને ગડદાપાટુનો માર માર્યો હતો અને જમણા ગાલે લાફો પણ મારી દીધો હતો.
દલસુખભાઈ વચ્ચે પડતાં કિરણનું ઉપરાણું લઈને આવી ચઢેલા કિર્તીભાઈ કિશનભાઈ ઠાકોર, રમેશભાઈ જગદીશભાઈ ઠાકોર, પરેશભાઈ હિંમતભાઈ ઠાકોરે તેમને પણ ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપીમાં તેઓ નીચે પડી જતાં જમણા પગે ફેક્ચર થઈ જવા પામ્યું હતુ. આ અંગે પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(6:59 pm IST)