Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો : નવા 1340 કેસ નોંધાયા : વધુ 1113 દર્દીઓ સ્વસ્થ થયા :કુલ કેસનો આંક 1,92,982 થયો :કુલ 1,76,475 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 7 લોકોના મોત : મૃત્યુઆંક 3823 થયો

આજે સૌથી વધુ અમદાવાદમાં 246 કેસ, સુરતમાં 239 કેસ, વડોદરામાં 149 કેસ, રાજકોટમાં 137 કેસ,ગાંધીનગરમાં 80 કેસ,મહેસાણામાં 53 કેસ, બનાસકાંઠામાં 52 કેસ, જામનગરમાં 38 કેસ, પાટણમાં 33 કેસ, દાહોદમાં 28 કેસ નોંધાયા : રાજ્યમાં હાલ 12,677 એક્ટિવ કેસ :

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ  1340 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1113 નવા  કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3830 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,677 એક્ટિવ કેસ છે, જ્યારે 1,76,475 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,590 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 92,982 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 149 કેસ  મળીને કુલ 7 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1340 કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 246 કેસ,સુરતમાં 239 કેસ,વડોદરામાં 1149 કેસ, રાજકોટમાં 137 કેસ,ગાંધીનગરમાં 80 કેસ,મહેસાણામાં 53 કેસ,બનાસકાંઠામાં 52 કેસ, જામનગરમાં 38 કેસ, પાટણમાં 33 કેસ, દાહોદમાં 28 કેસ નોંધાયા છે

 રાજ્યમાં આજે કોરોનાના 54,907 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 70,33,156 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં સાજા થવાનો દર 91,45  ટકા છે

 આજે રાજ્યમાં 54,256 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 69,78,249 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,50 ટકા થયો છે

(7:53 pm IST)