Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

દલિત સમાજના ત્રણ યુવકોને મંદિરમાં પ્રવેશતા અટકાવી કથિત અત્યાચારના વિરોધમાં શેરપુરામાં ભીમસેના દ્વારા મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠામાં દલિત સમાજના ત્રણ યુવકોને મંદિરમાં પ્રવેશતા અટકાવીને અત્યાચાર કરાયો હોવાની ફરિયાદ નોંધાઇ હતી.આ કેસમાં પોલીસે આરોપીની અટકાયત નહિ કરતા દલિતોમાં નારાજગી જન્મી હતી અને દલિતો દ્વારા મંદિર પ્રવેશ માટેનો કાર્યક્રમ યોજાયો.શેરપુરા ગામ યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મી પણ હાજર રહ્યા હતા

શેરપુર ગામે ભીમ સેના દ્વારા મંદિર પ્રવેશ કાર્યક્રમ યોજીને સૌ કોઇએ મંદિરમાં પ્રવેશ કરીને દર્શન કર્યા હતા.

(10:06 pm IST)