Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

રાજ્યમાં કોરોનાની વિદાયવેળાએ નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 16 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.078 : કુલ 8.14.972 લોકોએ કોરોનાને હરાવ્યો :રાજયમાં આજે વધુ 3.84.246 ડોઝનું રસીકરણ કરાયું

વડોદરામાં 9 કેસ, અમદાવાદમાં 4 કેસ, આણંદ અને સુરતમાં 2-2 કેસ, અરવલ્લી ,ભરૂચ, ભાવનગર, દાહોદ, પોરબંદર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 186 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 16 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 દરમિયાન રાજ્યમાં કોવીડ 19 અંતર્ગત કાપા વોરીએન્ટના 5 કેસ જોવા મળ્યા છે એમાંથી 3 કેસ જામનગર, 1 કેસ ગોધરા,અને 1 કેસ,મહેસાણા ખાતે નોંધાયો હતો,આ કેસો માર્ચ મહિના તેમજ જૂન મહિનામાં નોંધાયેલ પોઝિટિવ કે પૈકી જિનમ સિક્વન્સી દરમિયાન મળી આવેલ છે,

 આ વેરિએન્ટ આઈસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર વેરીનાટ ઓફ ઇંટ્રેસ્ટ છે તેમજ વેરીનાટ ઓફ કન્સર્ન નથી,આ તમામ કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તીનોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં હાલ કોઈ વ્યક્તિને લક્ષણો જોવા મળેલ નથી આ ઉપરાંત આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 23 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 16 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.14.972 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ  દર્દીનું મોત થયું નથી ,રાજ્યમાં મૃત્યુઆંક 10078 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે

 રાજ્યમાં રસીકરણ વેગવાન બન્યું છે આજે રાજયમાં વધુ 3.84.246 ડોઝનું રસીકરણ કરાયું છે આજ સુધીમાં રાજયમાં 4.16.55.853 ડોઝનું રસીકરણ કરાયું છે

  રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 લોકો વેન્ટિલેટર પર અને 178 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.14.972 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 23 કેસમાં વડોદરામાં 9 કેસ, અમદાવાદમાં 4 કેસ, આણંદ અને સુરતમાં 2-2 કેસ, અરવલ્લી,ભરૂચ, ભાવનગર, દાહોદ, પોરબંદર અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(7:37 pm IST)