Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

રાજપીપળા વાલ્મિકી વાસમાં બીજેપી એસ.સી.મોરચા દ્વારા કોરોના રસકીકરણમાં લોકોએ રસી મુકાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટી એસ.સી.મોરચાના આયોજન હેઠળ તા.૧૭-૦૭-૨૦૨૧ નાં રોજ વાલ્મિકી વાસમાં રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં SC મોરચાનાં જિલ્લા મહામંત્રી અમિત કે સોલંકી અને ભારતીય જનતા પાર્ટીનાં અગ્રણી જયશ્રીબેન સોલંકી રાજપીપળા SC મોરચા શહેર પ્રમુખ અલ્પેશ ભાઈ સોલંકી મહામંત્રી વિરેન્દ્ર સોલંકી,હિતેશ સોલંકીવલમ

ની અધ્યક્ષતામાં રસીકરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વાલ્મિકી વાસનાં તમામ ભાઈઓ તથા બહેનો એ કોરોના વેક્સિન લીધી હતી.

(11:56 pm IST)