Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ઠાસરા તાલુકાના મુળીયાદમાં નહેરનું પાણી બંધ કરવારનાર ખેડૂતને પિતા-પુત્રએ ઢોરમાર માર્યો

ઠાસરા: તાલુકાના મુળિયાદમાં નહેરનું પાણી કેમ બંધ કરાવ્યુ કહી પિતા - પુત્રએ ખેડૂતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઠાસરા તાલુકાના મુળિયાદમાં રહેતાં કનુભાઈ મેલાભાઈ પરમારે ઉત્તરાયણની સાંજે ભલાભાઈ પરમારને તે કેમ નહેરનું પાણી બંધ કરાવ્યું કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ભલાભાઈએ ગાળો બોલવાની ના પાડતાં કનુભાઈ મેલાભાઈ પરમારે ઉશ્કેરાઈ જઈ લાકડી મારી ઈજા કરી હતી. આ ઝઘડામાં મનુભાઈ રાવજીભાઈ પરમાર વચ્ચે પડતાં કનુભાઈએ તેમને માથામાં લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે મનુભાઈ રાવજીભાઈ પરમારની ફરીયાદને આધારે ઠાસરા પોલીસે કનુભાઈ મેલાભાઈ, મહેન્દ્રભાઈ કનુભાઈ તેમજ ખોડાભાઈ કનુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:44 pm IST)