Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર ખાતે પોષી પૂનમની ઉજવણી રદ : કોરોનાના કેસમાં વધારો થતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો

બંધ બારણે ભગવાનની સેવા પૂજા કરવામાં આવશે:મંદિર કમિટી દ્વારા ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિર ખાતે પોષી પૂનમની ઉજવણી રદ કરવામાં આવી છે. કોરોનાના કેસમાં વધારો થતા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં બંધ બારણે ભગવાનની સેવા પૂજા કરવામાં આવશે. આ મંદિર કમિટી દ્વારા ભાવિ ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં પણ રાજ્યમાં વધારો જોવા મળી રહ્યુ છે. જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્યભરના મોટા મંદિરો માં દર્શનાર્થીઓ માટે દ્વાર થોડા દિવસ બંધ કરી દેવામાં આવ્યા છે.

(10:10 pm IST)