Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

રાજપીપળા નવા ફળિયામાં પતંગના દોરાથી ઘાયલ થયેલા કબૂતરને જીવદયાપ્રેમી વિપુલ માછીએ દવાખાને પહોચાડ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઉત્તરાયણના દિવસે 7 પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર આપી નવજીવન અપાયું હતું જ્યારે આજે વાસી ઉત્તરાયણ ના દિવસે રસિયાઓ ધાભા પર ચઢી પતંગ ચકાવતા હતા જેમાં આજે બપોરે રાજપીપળાના નવા ફળીયા વિસ્તારમાં પતંગની દોરી કબૂતરની પાંખમાં ભરાતા ઇજાગ્રસ્ત હાલતમાં કબૂતર નીચે પડતા જીવદયાપ્રેમી અને રાજપીપળા શહેર મંત્રી વિપુલભાઈ માછીએ  ઇજાગ્રસ્ત કબૂતરને રાજપીપળા કાળા ઘોડા પાસેના પશુ દવાખાને લઈ જતા ત્યાં ફરજ પરના ડોકટરે તેને સારવાર આપી જીવતદાન આપ્યું હતું.

 

(5:20 pm IST)