Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આમ આદમી પાર્ટી દ્વારા માંડલમાં જન સંવેદના કાર્યક્રમ યોજાયો

મહામારીમાં જે લોકો દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

વિરમગામ: આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વરમોર થી ખંભલાવ માતાજીના દર્શન કરવામાં આવ્યા ત્યાંથી માંડલ ખાતે સભા યોજાઈ હતી. જેમાં આપ નેતા ઇશ્વરદાન ગઢવી અને વિજયભાઈ સુવાળા દ્વારા કોરોના મહામારીમાં જે લોકો દેવલોક પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને  જો અમારી સરકાર બનશે તો જે લોકો કોરોના માં મૃત્યુ પામ્યા છે તેમના ખાતામાં 50,000 ટ્રાન્સફર કરવામાં આવશે તેમ કહ્યું હતું.

 આ કાર્યક્રમમાં આપ નેતા ઇશ્વરદાન ગઢવી, વિજયભાઈ સુવાળા, મહેશભાઈ સવાણી, અમદાવાદ પ્રભારી,શિવકુમાર ઉપાધ્યક્ષ, ઝોન સંગઠન મંત્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ રાવલ, માંડલ તાલુકાના પ્રમુખ ભરતભાઇ પટેલ,ઉપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, મહામંત્રી મિતેશ ભાઈ ઠક્કર સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા (તસવીર:  જગદીશ રાવળ - ટ્રેન્ટ)

(9:34 pm IST)