Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અમદાવાદના ધનાસુથારની પોળમાં સ્પીકરો રીપેર કરતા સમયે દુકાનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

અમદાવાદ: શહેરના રીલીફ રોડ ઉપર આવેલી ધનાસુથારની પોળનાં ભોંયરામાં સ્પીકરો રીપેર કરતી એક દુકાનમાં શુક્રવારે બપોરે ચારના સુમારે આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.આગ અંગે પાંચકૂવાના સ્ટેશન ઓફીસર સુધીર ગઢવીની મળેલી પ્રતિક્રીયા મુજબ,દુકાનમાં સીડીનું વેલ્ડીંગ કરવામાં આવતુ હતું એ સમયે તણખા ઝરતા દુકાનમાં રાખવામાં આવેલા કંતાનના કોથળામાં આગ પ્રસરી હતી.પાંચકૂવા સ્ટેશનથી એક વોટર ટેન્કરની મદદથી આગને ગણતરીની મિનીટોમાં કાબૂમાં લેવામાં આવી હતી.દુકાન ભોંયરામાં હોવાથી ધુમાડો બહાર નીકળી શકે એવી વ્યવસ્થાનો અભાવ હોવાથી ધુમાડો વધુ ફેલાયો હતો.આગને લઈ કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.

 

(4:40 pm IST)