Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ડો.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા આંબેડકર ની પ્રતિમા પર રાજકીય અગ્રણી,સમાજ સેવકોએ પુષ્પહાર કર્યાં

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : આજે 14 એપ્રિલ એ ભારતીય બંધારણના ઘડવૈયા,ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા ખાતે આવેલી આંબેડકર ની પ્રતિમા પર શહેરના રાજકીય આગેવાનો, સમાજ સેવકો દ્વારા પુષ્પહાર પહેરાવી જન્મ જયંતિ ની ઉજવણી કરી હતી

ડો ભીમરાવ આંબેડકર સંઘર્ષ નુ પ્રતિક ભારતીય બંધારણના ઘડવૈયા,ભારતરત્ન તરીકે અનેક નામોથી ઓળખાઈ છે ત્યારે આજે ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમા ને ફૂલહાર અર્પણ કરી આમુ સંઘટન ના નર્મદા જીલ્લાના પ્રમુખ અને રાજપીપળા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ મહેશભાઈ એસ વસાવા અને તેમના ટેકેદારો દ્વારા સન્માનીત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે યુથ કોંગ્રેસ દ્વારા પણ ડો.આંબેડકર ની પ્રતિમા પર ફૂલહાર પહેરાવ્યા હતા જેમાં યુથ કોંગ્રેસના હરેશભાઇ વસાવા,અજયભાઈ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જ્યારે જિલ્લા કોંગ્રેસ માં ધારાસભ્ય પીડી વસાવા સહિત તેમના ટેકેદારો એ પણ આંબેડકર સાહેબની પ્રતિમા ને ફૂલહાર કરી નમન કર્યું હતું.

(10:22 pm IST)