Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

પાર્ટીનું સંગઠન મજબૂત કરવા તેમજ જે કમજોરી છે તે દૂર કરવા માટે માહીતી મેળવવા આજે અમદાવાદ આવ્યો છું. જેથી આગામી દિવસોમાં વિધાનસભામાં મજબૂતી સાથે ઉતરીશું

ઔવેસીએ કહ્યું, ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી.

- વિધાનસભા ચૂંટણી લડવા હુંકાર
AIMIMના અધ્યક્ષ ઔવેસી બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, . પોઝિટિવ મુદ્દા અને આખા વિઝન સાથે ચૂંટણી લડીશું. મે અને જૂન મહિનામાં પણ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ જઈશ. પાર્ટીને મજબૂત કરીશું અને વિધાનસભા ચૂંટણી મજબૂત રીતે લડીશું.AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે ઔવેસી અમદાવાદ આવી પહોંચ્યા છે. એરપોર્ટથી સીધા તેઓ ખાનપુર હોટલમાં રોકાયા છે. એરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ઘણા સમયથી ગુજરાતના પાર્ટીના કાર્યકર્તાને મળી શક્યો ન હતો. આવનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા આવ્યો છું, અને હવે આવતો રહીશ.

રામનવમી પર હિંસા મુદ્દે શું પ્રતિક્રિયા આપી?
રાજ્યમાં રામનવમી પર થયેલા હિંસા મુદ્દે  રાજય સરકાર જવાબદાર હોય છે. રાજય સરકાર જો ઈચ્છે તો હિંસા થાય અને ના ઈચ્છે તો ન થાય. હિંસા થઈ એ માટે સરકાર જવાબદાર છે. જે લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થાય. IBના ઇનપુટ હતા તો સરકારે કેમ પગલાં ન લીધા? જો ઇનપુટ હતા તો હિંસા રોકી શક્યા હોત. પોતાની નાકામયાબી છુપાવવા માટે આમ કહે છે. જો કાવતરું હોય તો પેગાસીસ, કોલ રેકોર્ડીંગ છે તો કેમ ન પકડી શક્યાં. શોભાયાત્રા કાઢવા માટેની પરમિશન પોલીસ આપે તો પુરી કરવાની જવાબદારી પોલીસની જ છે.

AIMIMના કાર્યકર્તાઓ સાથે ઇફ્તારી કરશે
જ્યારે RSSના પ્રમુખ મોહન ભાવગતના અખંડ ભારતના નિવેદન મુદ્દે ઔવેસીએ કહ્યું કે, ‘અખંડ ભારતની વાત કરો છો તો પૂરું અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન કબજો કરેલું કાશ્મીર, શ્રીલંકા અને ચીન છે તેની વાત કરો.’ સાંજે તેઓ સાણંદ રોડ પર શાંતિપુરા પાસે AIMIMના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે અને સાંજે ઇફતારી પાર્ટી કરશે. આખી રાત તેઓ શાંતિપુરા ખાતે કાર્યકર્તાઓ સાથે રોકાણ કરશે.

ગત વર્ષે AMCની ચૂંટણીમાં AIMIMને મળી હતી 7 બેઠક
​​​​​​​નોંધનીય છે કે ગત વર્ષે જ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું હતું. જમાલપુર બેઠક પર ચારેય તેમજ મકતમપુરા બેઠક પર AIMIMના ત્રણ ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે હવે AIMIMનો આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનો પ્લાન છે.

(9:46 pm IST)