Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ગુજરાતમાં ફરી કોરોના મુક્ત બનવા તરફ : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ફક્ત 11 નવા કોરોના કેસ નોંધાયા અને સાથે વધુ 5 દર્દીઓ સાજા થયા : રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું : રાજ્ય નો કુલ મૃત્યુઆંક 10,942 : કુલ 12,13,023 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 47,140 લોકોનું રસીકરણ કરાયું

આજે મોટા ભાગ નાં કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા : રાજયમાં હાલમાં 162 કોરોના નાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : ગુજરાતમાં ફરી કોરોના મુક્ત બનવા તરફ  જઈ રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા 24 કલાક માં રાજ્યમાં આજે કોરોનાના નવા ફક્ત 11 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 5 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,023 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.942 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાનતું રહેતા આજે રાજયમાં વધુ 47,140 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,66,65,925 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે અને આ તમામ 156 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11 કેસમાં અમદાવાદ શહેરમાં 10 કેસ અને વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે.

(7:11 pm IST)