Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

આણંદ નજીક આવેલ ચાવડાપુરામાં દહેજ મામલે પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:નજીક આવેલા ચાવડાપુરા ખાતે રહેતી એક પરિણીતા ઉપર તેના પતિ તેમજ ઘરના સભ્યોએ ખોટો શક વહેમ રાખીને શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારી કાઢી મુકતા આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી હિનાબેનને સોશ્યલ મીડિયાના માધ્યમથી અમિત જોનભાઈ પરમાર સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને ગત ૧૪-૬-૧૮ના રોજ વડોદરા ખાતે પ્રેમલગj કર્યા હતા. શરૂનું એક વર્ષ સુખરૂપ વીત્યું હતુ. જેના ફળસ્વરૂપે એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. ત્યારબાદ પતિએ ઘરના સભ્યોની ચઢવણીથી તેણી પર ઘરની નાની નાની બાબતોએ ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. જેમાં સાસુ મધુકાન્તાબેન, સસરા જોનભાઈ, નણંદ અર્પિતાબેન અને કાકા સસરા સુરેશભાઈ જોસેફભાઈ મેકવાન દ્વારા પતિની ચઢવણી કરવામાં આવતા પતિએ તેણી ઉપર ખોટો શક વહેમ રાખવાનું ચાલુ કરી દીધું હતુ. તેણી ખેડા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોય મુકવા અને લેવા જવાનું ચાલુ કરી દઈ તેણીનો પગાર પણ લઈ લેતા હતા. ત્યારબાદ પતિ દ્વારા ઘરમાં પુરીને મારઝુડ કરવામાં આવતી હતી.

(6:20 pm IST)