Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

ગાંધીનગર શહેર નજીક આવેલ રાંધેજા સાયકલ પર પસાર થઇ રહેલ ખેડૂતને બાઇકચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઇજાથી મોત

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા કોલવડા રોડ પર સાયકલ લઇને પસાર થઇ રહેલા ખેડૂતને બાઈકચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ગાંધીનગર સિવિલથી અમદાવાદ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રાધેજા ગામમાં આશાપુરા માતાના મંદિર પાસે આવેલા ખેતરમાં રહી ખેતી કરતા ખેડૂત જશુજી ચૌહાણ ગત મંગળવારે સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન રાધેજા કોલવડા રોડ ઉપર બાઈક ચાલકે તેમને હડફેટે લીધા હતા. જેના કારણે જશુજીને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમની તબિયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેમના પુત્ર પ્રવીણજી ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કર્યોે હતો.

(6:14 pm IST)