Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જયંતીની ઉજવણી કરાઈ

વિરમગામ શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી : શોભાયાત્રાનું ભરવાડી દરવાજા પાસેના ચોકમાં સ્વાગત કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ શહેરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજ પાસેથી શોભાયાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી અને શોભાયાત્રા વિરમગામ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શોભાયાત્રાનું ભરવાડી દરવાજા પાસેના ચોકમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

(4:06 pm IST)