Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

વિરમગામ ખાતે ચૈત્રી પૂનમે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતાજીનો ૩૪મો નવચંડી યજ્ઞ યોજાશે

ધર્મપ્રેમી જનતાને પધારવા માટે શ્રી વડલાવાળા મેલડીમાં યુવક મંડળ વિરમગામ તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ ::અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવના કિનારા પર બિરાજમાન શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમ તારીખ ૧૬/૦૪/૨૦૨૨ ને શનિવારે ૩૪મો નવચંડી યજ્ઞ યોજાશે. આ ઉપરાંત માતાજીના પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  શ્રી વડલાવાળા મેલડી માતાજી મંદિરે ચૈત્રી પૂનમે સવારે ૯.૦૦ કલાકે યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે અને સાંજે ૫.૦૦ કલાકે શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. સાંજે ૫.૧૫ કલાકે મહાઆરતી અને સાંજે ૫.૩૦ કલાકે ધજા ચઢાવવામાં આવશે. સાંજે ૬.૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો જોડાશે અને દર્શનનો લાભ લેશે. આ શુભ પ્રસંગે ધર્મપ્રેમી જનતાને પધારવા માટે શ્રી વડલાવાળા મેલડીમાં યુવક મંડળ વિરમગામ  તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(3:31 pm IST)