Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ ખાતે પુસ્તક પ્રદર્શન ખુલ્લુ મુકાયું.

ડો.બાબાસાહેબ આંબેડકર, ઝવેરચંદ મેઘાણી અને આઝાદી પર્વ સંબંધિત સાહિત્યના પુસ્તક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સરકારી તાલુકા પુસ્તકાલય વિરમગામ જી.અમદાવાદ ખાતે આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે ૧૩૧મી ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરજી ની ૧૪એપ્રિલ ૨૦૨૨ જન્મ જ્યંતી ઉજવણી પ્રસંગે નાયબ મામલતદાર‌ એલ ડી. ચાવડા , એ.ડી. સી. બેંકના બ્રાચ મેનેજર  દશરથ બારડ  અને મદદનીશ ગ્રંથપાલ ઇશ્વર પંડ્યા  દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર , રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી અને આઝાદી પર્વ સંબંધિત સાહિત્યના પુસ્તકો ના પ્રદર્શન ઉદ્દઘાટન કરી પ્રજાજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાચક ભાઈઓ અને બહેનો દ્વારા વક્તવ્ય આપ્યા હતા.

(3:09 pm IST)