Gujarati News

Gujarati News

News of Thursday, 14th April 2022

જીતનગર બાર ફળીયા ગામે 24 કલાક અખંડ ભજનમાં સાંસદ મનસુખભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર બાર  ફળીયા ગામમા યોજાયેલા 24 કલાક ના ઉભા ભજનમાં સંસાદ મનસુખભાઇ સહિત બીજેપી કાર્યકરો અને ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા

આદિવાસી સમાજમા હજુ પરંપરાગત રિવાજો અને ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા યથાવત છે તેમની સંસ્કૃતિ અકબંધ હોય જેના કારણે નર્મદા જિલ્લામાં સમાજ દ્વારા અનેક કાર્યક્રમ થતા હોય ભાથીજી યુવક મંડળ,બારફળીયા દ્વારા આયોજિત ૨૪ કલાક ના અખંડ પ્રભુ ભજન (ઉભું ભજન) માં સંસદ સભ્ય  મનસુખભાઇ વસાવા,બીજેપી અગ્રણી કમલેશભાઈ પટેલ , મફતભાઈ વસાવા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનોની સાથે સાથે ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.

(11:34 pm IST)