Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સાસરિયાના ત્રાસથી કંટાળી નડિયાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

નડિયાદ:શહેરમાં  પશ્ચિમમાં રહેતી પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળી બ્લીચીંગ પ્રવાહી પી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે સાસરીયા સામે પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ વલ્લભનગર સોસાયટીમાં રહેતા મોસીન મુસ્તુફામીયાં બેલીમના લગ્ન સાયનાબાનુ ં સાથે થયા હતા. છેલ્લા થોડા સમયથી સાસરીયા પરિણીતાને મ્હેણાંટોણાં મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. તેમાં વળી ગઈકાલે તેની સાસુ ઝરીનાબાનું મુસ્તુફામીયાં બેલીમે ગમે તેમ ગાળો બોલી પુત્રવધુને લાફો માર્યો હતો. આમ અવાર-નવાર ગુજારતા શારીરિક માનસિક ત્રાસથી કંટાળી આવેશમાં આવી જઈ સાયનાબાનુ (ઉં.વ.૨૬) એ ગઈકાલે સાંજે જિંદગીનો અંત આણવાના આશયથી કપડાં ધોવાનું બ્લીચીંગ પ્રવાહી પી ગઈ હતી. જેની જાણ થતાં પરિણીતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પરિણીતાએ કરેલ આપઘાતના પ્રયાસના બનાવને લઈ ચકચાર મચી જવાં પામી છે.
આ બનાવ અંગે સાયનાબાનું મોસીનમીયાં બેલીમની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે મુસ્તુફા જમાલમીયાં બેલીલ, ઝરીના મુસ્તુફામીયાં બેલીમ તથા હિનાબેન મુસ્તુફા બેલીમ સામે ગુનો નોેંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)