Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

વલસાડ ચણવઇ નજીક જીપને નડેલ અકસ્માતમાં પિતા-પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી

અમદાવાદ: સુરત પૂણા કુંભારિયાના પરિવારને વલસાડ ચણવઈ નજીક નડેલા અકસ્માતમાં ઘરના મોભી અને દિકરાના આકસ્મિક મોતથી પટેલ પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.

અમેરિકા રહેતી જ્યોતિબહેન હર્ષદ જરીવાલા અને તેમની વહુને સુરત પુણાકુંભારિયા નજીકના દેવધગામમાં પટેલ ફળિયામાં રહેતા જયંતીભાઈ છીતુભાઈ પટેલ અને તેમનો દીકરો વિશાલ જયંતી પટેલ મુંબઈ એરપોર્ટ પર લેવા માટે ગયા હતા. એરપોર્ટ પરથી મંગળવારે વહેલી પરોઢે કારમાં બેન જ્યોતિ, વહુ પારુલ અને મનોજને લઈ પિતા જયંતીભાઈ પુત્ર વિશાલ સાથે સુરત પરત ફરી રહ્યા હતા.

કારચાલક વિશાલ પટેલે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં અતુલ ચણવઈ ઓવરબ્રિજ નજીક સુરત જતા માર્ગ પર કાર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. જેમાં વિશાલ અને પિતા જયંતીલાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રપ વર્ષીય વિશાલ મોતને ભેટ્યો હતો. જયંતીલાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

(5:36 pm IST)