Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રજવાડી નગરીની શોભા વધશે : વિજયસિંહ ચોક સર્કલ પર 75 માં સ્વાતંત્ર્ય પર્વે સંસદ ના હસ્તે રાષ્ટ્ધ્વજનું ધ્વજારોહણ થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 15 ઓગસ્ટ એ 75માં સ્વાતંત્ર્ય પર્વના દિવસે રાજપીપળા શહેરમાં APH ખાતે જીલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ થનાર છે જેમાં નર્મદા કલેક્ટર શાહના હસ્તે ધ્વજવંદન થશે જ્યારે બીજી બાજુ રાજપીપળાના પ્રવેશ દ્વાર વિજયસિંહ ચોક સર્કલ પર સંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજ નું ધ્વજારોહણ પણ થનાર છે ત્યારે વિજય ચોક સર્કલ પર લહેરાવવામાં આવનાર આ રાષ્ટ્રધ્વજની ખાસિયત એ છે કે અંકલેશ્વર ભરૂચ હાઇવે પરથી રાજપીપળામાં આવતા પ્રવેશ દ્વાર પર 25 મીટર ઊંચા પોલ પર 14×21નો રાષ્ટ્ધ્વજ લહેરાતો થશે અને એ રજવાડી નગરી રાજપીપળાની શોભામાં વધારો કરશે.તેમ પાલીકા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડીયા દ્વારા જાણવા મળ્યું છે.

(11:24 pm IST)