Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અખ્તર શેખે મુકેશ ગુપ્તા બની હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા

સુરતમાં લવ જેહાદ સામે આવ્યો : સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ ૨૦૧૮માં સુરત શહેરમાં એક કંપનીના સ્ટોરમાં કામ કરતી હતી

સુરત,તા.૧૩ : લવ જેહાદ પર અંકુશ મેળવવા માટે દેશના વિવિધ રાજ્યોની સરકારો પોતાના કાયદાઓ બનાવી રહી છે. લવ જેહાદ પર કાયદાઓ બનાવનાર રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. હવે તે જ ગુજરાતના સુરત શહેરમાંથી લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ૫ બાળકોના પિતા અખ્તર શેખે મુકેશ ગુપ્તા બનીને મંદિરમાં હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા હતા. અખ્તર શેખનું સત્ય પ્રકાશમાં આવ્યું ત્યારે તેની સાથે લગ્ન કરનાર યુવતીએ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક યુવતીએ ૨૦૧૮માં સુરત શહેરમાં એક કંપનીના સ્ટોરમાં કામ કરતી હતી. જ્યારે મુકેશ મહાવીર ગુપ્તા નામનો ૫૦ વર્ષનો એક ગ્રાહક તરીકે ત્યાં આવતો હતો. યુવતી અને મુકેશ ગુપ્તા વચ્ચે પરિચય સિમકાર્ડ વેચવાના કમિશન લઈને શરૂ થયો અને તે પરિચય બંનેના પ્રેમમાં ફેરવાઈ ગયો. ૨૦ વર્ષી યુવતીને ત્યારે ૫૦ વર્ષીય મુકેશ ગુપ્તાએ અપરિણીત ગણાવ્યા હતા અને યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

   વર્ષ ૨૦૧૯માં મુકેશ ગુપ્તા અને યુવતીએ સુરતના કડોન્દ્રા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા અને તે પછી બંનેને એક પુત્રનો જન્મ થયો. મુકેશ ગુપ્તાએ યુવતીના ઘરના લોકોને પોતે રેલવે કર્મચારી તરીકે કામ કરે છે તેમ જણાવ્યું હતું અને યુવતીને હંમેશા ખુશ રાખશે તેવી ખાતરી આપી હતી. એટલું જ નહીં, મુકેશ ગુપ્તાએ રેલવેમાં નોકરી અપાવવાના બહાને યુવતીના ઘરનાં લોકો પાસેથી ૧૨ લાખ રૂપિયા પણ વસૂલ્યા હતા. હવે ૨૦૨૧ના મે મહિનામાં યુવતીને ખબર પડી કે તે જેને મુકેશ ગુપ્તાને સમજી રહી છે, તે વાસ્તવમાં મોહમ્મદ અખ્તર શેખ છે. જે ૫ બાળકોનો પિતા છે અને તેની પત્ની પણ છે. અખ્તર શેખથી મુકેશ ગુપ્તા તરફ વળી ગયેલા આ વ્યક્તિનું સત્ય સામે આવ્યા બાદ યુવતી અને તેની વચ્ચે ઝઘડો શરૂ થયો. મે મહિનામાં જ યુવતીએ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અખ્તર શેખ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટે અરજી કરી હતી, પરંતુ હિન્દુ સંગઠનોના દબાણ બાદ ડિંડોલી પોલીસે ત્રણ મહિના બાદ રિપોર્ટ દાખલ કર્યો છે. અખ્તર શેખે સુરત સ્થિત યુવતીને રેલવે કર્મચારી અને અપરિણીત હોવાનું કહીને લવ જેહાદનો શિકાર બનાવ્યો છે. પરંતુ જ્યારે અખ્તર શેખનું સત્ય જાણવા મળ્યું તો ત્રણ મહિનાની મહેનત બાદ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. હવે એક તરફ વિચારો, જ્યાં ગુજરાત સરકાર લવ જેહાદને લગતા કાયદામાં સુધારો કરે છે.

(8:53 pm IST)