Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અમદાવાદમાં પ્રેમી સાથેના આડા સંબંધમાં સગી જનેતાએ જ પોતાના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો

જ્યોતિ પરમાર અને તેનો પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારએ ત્રણ વર્ષના ફુલ જેવા બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યા કરી

અમદાવાદ : અમદાવાદમાં પ્રેમી સાથેના આડા સંબંધમાં સગી જનેતાએ પોતાના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે : એક મહિલા જ્યોતિ પરમાર અને તેનો પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે ભરત પરમારએ ત્રણ વર્ષના ફુલ જેવા બાળકને દૂધમાં ઝેરી પાવડર પીવડાવી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. ધટના કઈક એવી છે કે, ત્રણ વર્ષનો યુવી નામનો બાળક બીમાર હતો જેને 6 ઓગષ્ટના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાનાં બહાને માતા જ્યોતિ લઇ ગઇ અને સાંજે બાળકને લઇ પરત આવી. ત્યારે બાળક બેભાન અવસ્થામાં લઇને આવતાં બાળક શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતાં. જયાં ફરજા પર હાજર ડૉક્ટર બાળકને મૃત જાહેર કર્યું અને પાલનપુર ખાતે અંતિમ વધી કરી હતી.

આ દરમિયાન બાળકનું ઝેરનાં કારણે મોત થયુ હોવાનું રિપોર્ટ આવતાં પરિવારે માતા જ્યોતિ પુછપરછ કરતા જ્યોતિએ કબૂલ્યું કે, તેણે તેનાં પ્રેમી સાથે બાળકને ઝેર પીવડાવ્યું હતું. જેથી પરિવાર હત્યારી માતા અને પ્રેમી વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

બાળકની હત્યાના કેસમાં હત્યારી માતા અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, 13 વર્ષ પહેલા યુવતી જ્યોતિના લગ્ન પાલનપુરના અજય પરમાર સાથે થયાં હતાં. તેમને 3 વર્ષનો દિકરો યુવી હતો. દોઢ વર્ષ પહેલા જ્યોતીના અનૈતિક સંબંધ અંગે પતિ અજયને જાણ થઈ ત્યારે સમાજમાં આબરૂ અને બાળકને લઈ સમાધાન કર્યું હતુ પરતું ત્યાર બાદ પણ જ્યોતિ અને ભૂપેન્દ્ર વચ્ચેનાં અનૈતિક સંબધ ચાલુ રહ્યાં હતાં. આ સંબધમા ફુલ જેવા માસુમ બાળક વચ્ચે આવતો હોવાથી બાળકની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતુ.

જેમાં સિવિલ હોસ્પિટલ નજીક ગેસ્ટ હાઉસમાં માતા જ્યોતિ બાળકને લઇ પહોચી હતી ત્યારે પ્રેમી ઝેરી પાવડર સાથે દૂધ બનાવી રાખ્યું હતુ અને માતા અને પ્રેમી ભેગા થઈ બાળકને બિસ્કીટ અને દૂધ પીવડાવી હત્યા કરી દીધી હતી. તે બાદ કોઈ શકા ન જાય તે માટે બાળકને પાલનપુર લઇ જઇ અંતિમ વિધી કરી નાખી હતી. આ સમગ્ર ધટનાની જાણ બાદ શહેરકોટડા પોલીસે પાલનપુર ખાતે બાળક લાશ મેજિસ્ટ્રેટ સમક્ષ બહાર કાઢી પેનલ ડૉક્ટર પોસ્ટમોટમ કરવામાં આવશે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, પ્રેમી ભુપેન્દ્ર પરમાર પાલનપુર ખાતે સરકારી હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પોસ્ટ મોર્ટમ રૂમમાં જે ઝેરી દવાનો ઉપયોગ થતો હોય તે પાવડર બાળકને દૂધ માં નાખ્યો હતો. હત્યારી માતા અને પ્રેમી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.

(8:04 pm IST)