Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

પસંદગી મેળો

(કેતન ખત્રી), અમદાવાદઃ લોહાણા ઈન્ટરનેશનલ અને લોહાણા લગ્ન સગાઈ કેન્દ્ર દ્વારા આયોજિત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ઉમેદવાર માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન થયું હતું, જેમાં કોરોનાકાળમાં દસ લાખ લોકોને ભોજન વ્યવસ્થા નિઃશુલ્ક આપનાર વિભાબેન જગદીશચંદ્ર ઠકકર અને તેમની પુત્રવધુ શશી વિરાગ ઠકકરને નારી સન્માન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૭૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમણે પોતાના જીવનસાથી પસંદગી માટે યોગ્ય પ્રમાણીક રીતે માપદંડ જણાવ્યા હતા. અમદાવાદ સિવાય દક્ષિણ ભારત (કોઈમ્બતુર), જામનગર, રાજકોટ, સુરત, વલસાડ, ઉત્તર ગુજરાતમાંથી ઉમેદવારોએ ભાગ લીધો હતો.

(2:54 pm IST)