Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

SGVP ગુરુકુલમાં ચાલી રહેલ વિષ્ણુયાગમાં જોડાતા મુંબઇ ગાંધી પરિવાર યજ્ઞાન્તે માધવપ્રિયદાજી સ્વામીએ યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી આરતિ ઉતારી

અમદાવાદ તા.૧૧ માધવપ્રિયદાજી સ્વામીની પ્રેરણા, અને પૂજ્ય જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં, એસજીવીપી ગુરુુકુલમાં, કોરાના મહામારી દરમિયાન વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે, રોગ પ્રતિકારક ક્ષમતા વધે,  તે માટે ભગવાનને પ્રાર્થના રુપે ઋષિકુમારોના વૈદિક મંત્રોચ્ચાર સાથે દરરોજ સવારે વિષ્ણુયાગ અને સાંજે ધનવન્તરી યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.
 પવિત્ર શ્રાવણ માસના તૃતીય દેિને, SGVP ગુુરુકુલમાં ચાલી રહેલ  વિષ્ણુયાગમાં યોગેશભાઇ ગાંધી પરિવાર વતી હર્ષભાઇ અને પાર્થભાઇ સહકુટુંબ જોડાયા હતા.
યજ્ઞાન્તે માધવપ્રિયદાજી સ્વામીએ યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી, આરતિ ઉતારી હતી અને વિષ્ણુયાગનો મહિમા સમજાવ્યો હતો.

 

(12:51 pm IST)