Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

નર્મદા જિલ્લામાં રવિવારે ૬ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા:જિલ્લાનો કુલ આંકડો ૧૦૬૩ પર પહોંચ્યો

( ભરત  શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે. જિલ્લામાં રવિવારે નવા ૦૬ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૬ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા વાસુ કોમ્પ્લેક્સ-૨,નાંદોદ તાલુકાના કરાઠા-૧,વડીયાની શ્રીરામ સોસાયટી -૧, ગરુડેશ્વરના આમદલા ગામમાં-૦૧ અને તિલકવાડા નમસ્કાર સોસાયટીમાં- ૦૧ મળી નર્મદા જિલ્લામાં કુલ ૦૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
  રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે, જ્યારે ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં ૦૯ દર્દી દાખલ છે.આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૦૧૩ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લા માં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૦૬૩ પર પહોચ્યો છે.આજે વધુ ૪૧૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:00 pm IST)