Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભાજપના પ્રદેશ પ્રમુખની અકિલા સાથે વાતચીત

મારી તબીયત સારી છે, કોઇ ચિંતા ન કરે : સી.આર. પાટીલ

રાજકોટ,તા.૧૨ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કોરોના લાગુ પડતા તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની તબિયત સતત સુધારા પર છે.

પાટીલે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે મારી તબિયત સારી છે. હવે એક ઇન્જેકશન બાકી છે. ત્યારબાદ ફરીથી ટેસ્ટ કરાશે. સોમવારે હોસ્પિટલમાંથી રજા મળે તેવી શકયતા છે. ત્યારબાદ થોડા દિવસ ઘરે રહીશ. ફોન સહિતના માધ્યમોથી મારૂ કામ ચાલુ છે. મારી તબિયત સારી છે. કાંઇ તકલીફ નથી. કાર્યકરો-શુભેચ્છકોએ ચિંતા કરવાનું કોઇ કારણ નથી.

(2:25 pm IST)