Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતના માંગરોળમાં 12 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન : બજારો સવારે 7થી 11 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે

મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રાખી શકાશે : જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવા નિર્ણય

સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેવામાં સુરતના માંગરોળ ગ્રામ પંચાયતે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ  12 દિવસ માટે માંગરોળમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

જોકે આ દરમિયાન માંગરોળના બજાર સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત માંગરોળ તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

(11:55 am IST)