-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
દેડિયાપાડા ખાતે ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલમાં સિકલસેલની સારવાર દર શરૂ કરાઈ
દર માસના બીજા શનિવારે સિકલસેલને લગતી તમામ બીમારીઓથી પીડિત દર્દીઓની સારવાર કરાશે
(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડાની ઇનરેકા સંસ્થાન સંચાલિત નર્મદા હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર , ટીંબાપાડા અને ગોરજ અનુબેન ઠક્કર પ્રેરિત મુનીસેવા આશ્રમના સંયુક્ત ઉપક્રમે નવા વર્ષ ૨૦૨૧થી દર માસના બીજા શનિવારે સિકલસેલને લગતી તમામ બીમારીઓથી પીડિત દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા તપાસ અને સારવાર કરવામાં આવશે.જેમાં ટીબાપાડા ઇનરેકા સંસ્થાન ખાતે સવારે ૧૦:૦૦ થી બોપોરે ૨:૦૦ વાગે સુધી રહેશે એમ ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડો.વિનોદ કુમાર કૌશિકે જણાવ્યું હતું
.આ પ્રસંગે ઇનરેકા સંસ્થાના વડા ડૉ. વિનોદકુમાર કૌશિક, મુનિ સેવા આશ્રમ,ગોરાજના હિમેટોલોજીસ્ટ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન એવા ડૉ. શૈલેષ લવાના,સેવાકાર્ય સાથે સંકળાયેલા રામકિશોર ભાઈ પટેલ,નર્મદા હૉસ્પિટલ્સ એન્ડ રિસર્ચ સેન્ટરના કાર્યરત ડૉ. મોનિક વસાવા ઉપસ્થિત રહયા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે દેડિયાપાડા સાગબારા તાલુકામાં અને નર્મદા, ભરૂચ જિલ્લાનાં ડુંગર વિસ્તારમાં આદિવાસી ઓમાં સિકલસેલ નું પ્રમાણ વધુ જોવા મળે છે.ત્યારે ગરીબ આદિવાસીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે